જોડિયા તાલુકાના વાવડી ગામ ખાતે તમામ દુકાનદારો તેમજ મંદિર ના પુજારીઓ નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા

હિન્દ ન્યૂઝ, હડિયાણા,

આજ રોજ જોડિયા તાલુકાના વાવડી ગ્રામ પંચાયતના સરપંચ ભવેશભાઈ મકવાણા ની આગેવાની હેઠળ આરોગ્ય ની ટીમ ના આણદા ગામના સબ સેન્ટર ના CHO લાલજીભાઈ જૂથર અને MPHW ગોસ્વામી ભવેશભાઈ દ્વારા વાવડી ગામના તમામ દુકાનદારો તેમજ મંદિર ના પુજારી અને અન્ય ગ્રામજનો ટોટલ 30 જેટલા વ્યક્તિ ઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ ટેસ્ટ કરતા બધા ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને ગામ ના લોકોને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરીને આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. અને હવે પછી ના દિવસો માં ફરી એકવાર તમામ રીક્ષા ચાલકો ને તેમજ બહાર ગામ થી આવતા અને જતા લોકો ના કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે તેવું વાવડી ગામ ના સરપંચ ની યાદી માં જાણવા મળ્યું છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment